ચેમ્પિયન્સ ટ્રોફી જીત્યા પછી પણ, ટીમ ઈન્ડિયાના કેટલાક સિનિયર ખેલાડીઓના ભવિષ્ય અંગે પ્રશ્નો ઉભા થાય છે. કેપ્ટન રોહિત શર્માએ હાલ તો તેનો ઇનકાર કર્યો છે પરંતુ સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ આ વિશે સ્પષ્ટ રીતે કંઈ કહ્યું નથી. ચાહકો આ બે દિગ્ગજોના ભવિષ્યને લઈને ચિંતિત છે અને હવે કોહલીએ તેમના એક નિવેદનથી તેમની ચિંતામાં વધુ વધારો કર્યો છે. IPL 2025 સીઝન શરૂ થાય તે પહેલાં, કોહલીએ પોતાની ટેસ્ટ કારકિર્દી વિશે કહ્યું છે કે તે કદાચ ફરીથી ઓસ્ટ્રેલિયામાં રમતા જોવા નહીં મળે.
કોહલીએ આવું કેમ કહ્યું?
વિરાટ કોહલી આઈપીએલની 18મી સીઝન માટે શનિવાર 15 માર્ચે તેની ફ્રેન્ચાઇઝી બેંગ્લોરમાં જોડાયો. આ દરમિયાન, કોહલીએ ફ્રેન્ચાઇઝીના એક કાર્યક્રમમાં ઘણા પ્રશ્નોના જવાબ આપ્યા. આ દરમિયાન તેમના તાજેતરના ફોર્મ વિશે એક પ્રશ્ન પૂછવામાં આવ્યો. કોહલી ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં નિષ્ફળ ગયો હતો. તેના બેટમાંથી ફક્ત એક જ સદી નીકળી, જ્યારે તે પહેલાં આ દેશમાં તેનો રેકોર્ડ હંમેશા ઉત્તમ રહ્યો છે. આ સમગ્ર પ્રવાસ દરમિયાન, કોહલી ઓફ સ્ટમ્પની બહારના બોલ પર વારંવાર આઉટ થતો રહ્યો, જેનાથી માત્ર ચાહકો જ નહીં પરંતુ નિષ્ણાતો પણ આશ્ચર્યચકિત અને પરેશાન થયા. આવી સ્થિતિમાં, જ્યારે કોહલીને તે પ્રવાસ પર તેના બેટિંગ સંઘર્ષ વિશે પૂછવામાં આવ્યું, ત્યારે ભૂતપૂર્વ ભારતીય કેપ્ટને કહ્યું, “હું કદાચ ફરીથી ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર નહીં રમી શકું, તેથી ભૂતકાળમાં જે કંઈ બન્યું તેનાથી હું સંતુષ્ટ છું.” ટીમ ઈન્ડિયાનો આગામી ઓસ્ટ્રેલિયા પ્રવાસ 2027 ના અંતમાં યોજાવાનો છે.
કોહલી અચાનક નિવૃતી જાહેર કરી શકે
ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં આ નિષ્ફળતા બાદ કોહલીની ટેસ્ટ કારકિર્દી પર પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. શું આઈપીએલ પછી ઈંગ્લેન્ડ પ્રવાસ માટે તેની ટીમમાં પસંદગી થશે? જો પસંદગી થાય, તો શું તે આ શ્રેણી પછી નિવૃત્તિ લેશે? આ પ્રશ્નો મીડિયા, નિષ્ણાતો અને ચાહકો દ્વારા સતત પૂછવામાં અને ચર્ચા કરવામાં આવી રહ્યા છે. પરંતુ કોહલીના આ નિવેદનથી ચાહકોમાં એક નવો ટેન્શન આવ્યું છે કે કોહલી અચાનક નિવૃત્તિની જાહેરાત કરી શકે છે. જોકે, ચાહકો કોહલીને ફરી એકવાર ટેસ્ટ ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કરતા જોવા માંગે છે અને ઇંગ્લેન્ડમાં તેના બેટ પરથી રનનો વરસાદ જોવાની આશા રાખે છે, જેથી જો તે નિવૃત્તિ લે તો પણ તે ચાહકો માટે ખુશ યાદો છોડી જાય. ઉલ્લેખનીય કોહલીએ ટી 20 ફોર્મેટમાં નિવૃતી લઈ લીધી છે અને હવે ટેસ્ટમાંથી તેની નિવૃતીની ચર્ચા ચાલી રહી છે.
નિવૃતી બાદ શું કરશે?
રિટાયરમેન્ટ બાદ શું? સવાલનો જવાબ આપતાં કોહલીએ કહ્યું કે સાચું કહું તો મને ખબર નથી કે નિવૃતી પછી હું શું કરીશ પરંતુ એક વાત સાચી કે ટ્રાવેલ ખૂબ કરીશ.